![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/16-12.jpg)
શામળાજી-રાધનપુર હાઈવે જમીન સંપાદનને લઈ ખેડૂતોનો વિરોધ
સાબરકાંઠાના ઈડર ના બડોલી થી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે. તેમજ 370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે આગામી સમયમાં નેશનલ હાઇવે પસાર થવા મામલે વિવિધ વિરોધાભાસ સામે આવ્યો છે.
એક તરફ ઈડર શહેર માંથી પસાર થવું માથાનો દુખાવો બની ચૂક્યો છે, તો બીજી તરફ હવે આઠ જેટલા ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે વિવાદનું કારણ બની રહ્યો છે. ઈડરમાંથી પસાર થવું એટલે અંબાજી સ્ટેટ હાઈવેના વાહનચાલકો માટે સૌથી મોટી પરેશાની છે. આ દરમિયાન હવે નેશનલ હાઈવેનો બાયપાસ માર્ગ તેનો ઉેકલ જણાઈ રહ્યો છે. જોકે ખેડૂતોએ ફળદ્રુપ જમીનને બદલે વૈકલ્પિક રીતે જમીન સંપાદન કરવાની માંગ શરુઆતથી કરી હતી.હાલમાં 170 હેક્ટર જમીન ઉપર 370 જેટલા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. સાથો સાથ સંપાદિત થયેલી જમીનમાં 10 કૂવા તેમજ 25 જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે. જેના પગલે ખેડૂતોને આગામી સમયમાં ભારે નુક્સાન ભોગવવાનું આવે તેવી સ્થિતિ સર્જાઇ છે.