સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને KYC પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હજારો ખેડૂતો KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરીથી વંચિત છે. ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને KYC પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં હજી 73 હજાર 833 ખેડૂતોની KYC પ્રક્રિયા બાકી છે.

આ અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને કેન્દ્ર સરકારની સુચના અનુસાર રૂ. 6 હજારની સહાય ચુકવવામાં આવે છે. જે ત્રણ હપ્તામાં ચુકવવામાં આવતી હોય છે. જેના માટે તમામ લાભાર્થીઓને ફરજીયાત પણે આધાર કેવાયસી પૂર્ણ કરવાનું હોય છે,

પરંતુ હજુ સુધી હજારો ખેડૂતોએ ઈ-કેવાયસી અને આધાર સીડેડની કામગીરી નહિ કરાવી હોવાથી હવે પછીની સરકાર તરફથી બેન્કના ખાતામાં જમા કરવામાં આવતા હપ્તાની રકમની ચુકવણી થઇ શકશે નહિ. જેથી જે ખેડૂતોને ઈ-કેવાયસી કરવાની બાકી હોય તેમણે તાત્કાલિક ધોરણે નજીકના બાયોમેટ્રિક ઓર્થેન્ટીકેશન ધરાવતા કોમન સર્વિસ સેન્ટર અને ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈને કરાવાની રહેશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.