હિંમતનગર તાલુકાના વામોજ ગામમાં દીપડાએ વાડામાં સાત બકરાનું મારણ કર્યું : વન વિભાગની ટીમે ઘટના સ્થળે તપાસ શરૂ કરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં જંગલ વિસ્તારમાંથી દીપડો બહાર શિકાર માટે આવતો હોય છે. ત્યારે આજે વહેલી સવારે હિંમતનગર તાલુકાના વામોજમાં દીપડાએ વાડામાં સાત બકરાના મારણ કર્યા હતા. આ અંગે વન વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યા બાદ આસપાસ અને જંગલ વિસ્તારમાં તપાસ શરૂ કરી છે.હિંમતનગરના વામોજમાં ઘરની પાછળ વાડો આવેલો છે. વાડાથી 50 મીટર જંગલ વિસ્તાર શરૂ થાય છે. ત્યારે ગતરાત્રે વાડામાં બકરા હતા. સવારે કરણસિંહે જોયું તો વાડાની વાડ એક બાજુ નમી ગઈ હતી અને સાત બકરા મૃત હાલતમાં પડેલા હતા. તો આ દીપડાએ મારણ કરેલ બકરા અંગે આસપાસ અને વન વિભાગને જાણ કરી હતી. આ ઉપરાંત એક મહિના પહેલાં પણ દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. તો વન વિભાગના ફોરેસ્ટર હસમુખ પટેલ, વનપાલ, વનરક્ષક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં મૃત બકરાઓનું પંચનામું કર્યું હતું. તમામ બકરાના ગળાના ભાગે ઈજાઓ થઇ હતી.વામોજ ગામ નજીક જંગલ વિસ્તાર આવેલો છે. નાનો વિસ્તાર હોવાને લઈને અહિંયા દીપડાનો વસવાટ નથી, પરંતુ નજીક હાથરોલ અને રૂપાલ ગામની સીમના જંગલ વિસ્તારમાંથી દીપડો આવ્યો હોઈ શકે છે. તો કરણસિંહ પરમારના વાડામાં અંદાજીત 22 બકરા હતા. તેમાંથી સાત બકરા મૃત જોવા મળ્યા છે. જેમાં મૃતકમાં 12 મહિનાના ચાર અને બે વર્ષના બે અને એક જન્મેલું એમ સાત બકરા મૃત છે. બાકીના બકરા સલામત જોવા મળ્યા છે. આ તમામ બકરાને ગળાના ભાગે ઈજાઓ જોવા મળી છે. જે ઈજાઓ દીપડો જ કરે છે. તો પંચનામું કરવામાં આવ્યું છે. પરંતુ વાડાની આસપાસ કે જંગલ વિસ્તારમાં દીપડાના પગના નિશાન વિસ્તારમાં ક્યાંય જોવા મળ્યા નથી. હાલમાં તમામ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.