ઇડરમાં જીલ્લા કક્ષાનો સ્વાત્રંત પર્વની ઉજવણી કરાશે, આજે રીહર્સલ કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં જીલ્લા કક્ષાના સ્વાત્રંત પર્વની ઉજવણી થવાની છે જેને લઈને આજે રીહર્સલ યોજાયું હતું. તો પ્રાંતિજમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા રેલી યોજાઇ હતી. જેમા તિરંગા સાથે હજારોની સંખ્યામા લોકો યાત્રામા જોડાયા હતા.સાબરકાંઠા જિલ્લામાં 15મી ઑગસ્ટ સ્વાતંત્ર દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સોમવારે રિહર્સલ યોજાયું હતુ. 15 ઑગસ્ટ 2023ના રોજ 77મા સ્વાતંત્ર દિનની જિલ્લાકક્ષાની ઉજવણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇડર ખાતે કરવામાં આવનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાકક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્યદિનની ઉજવણીનું રિહર્સલ કરાયું હતું.આ રિહર્સલમાં કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રગાન બાદ ઇડર કોલેજથી નગર પાલિકા સુધી તિરંગા યાત્રા યોજાઇ હતી.સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ ધ્વારા પ્રાંતિજ તાલુકા મંડલ તથા પ્રાંતિજ શહેર મંડલ દ્રારા દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા પ્રાંતિજ બાબાસાહેબ આંબેડકરના બાવલા પાસેથી નીકળેલ વિશાળ તિરંગા રેલી પ્રાંતિજના વિવિધ માર્ગો બજાર સહિત વિસ્તારોમા થઈને પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ પંખીઘર ખાતે પહોંચી હતી. જેમા તિરંગા રેલીમા હજારોની સંખ્યામા લોકો આપ મેળે હાથમા તિરંગા લઈને જોડાયા હતા અને તિરંગાના રંગમા રંગાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.