હિંમતનગરમાં વરસાદ વચ્ચે જર્જરીત બિલ્ડીંગનું ધાબુ ધરાશાઇ, જાનહાની ટળતાં રાહત
સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં આજે વહેલી સવારે બિલ્ડીંગનું ધાબુ ધરાશાઇ થવાની ઘટના સામે આવી છે. શહેરના ટાવરચોક વિસ્તારમાં આવે વર્ષો જૂની બે માળની બિલ્ડીંગનું ધાબુ અચાનક ધસી પડ્યુ હતુ. વહેલી સવારે ઝરમર વરસાદ વચ્ચે બનેલી ઘટનામાં કોઇ જાનહાની નહીં સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ ટાવરચોક વિસ્તારમાં રોજના હજારો લોકોની અવર-જવર હોઇ આવા જર્જરીત બિલ્ડીંગને ઝડપથી ઉતારી લેવામાં આવેતો મોટી દુર્ઘટનાને ટાળી શકાય છે.
રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે હિંમતનગરમાં એક દુર્ઘટના સામે આવી છે. શહેરના ટાવરચોક વિસ્તારમાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ વચ્ચે બે માળની બિલ્ડીંગનું ધાબુ ધસી પડ્યુ હતુ. જોકે સવારનો સમય હોઇ સ્થાનિકો અને રાહદારીઓની અવર-જવર ઓછી હોવાને કારણે મોટી જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે આવી જર્જરીત બિલ્ડીંગ ઝડપથી ઉતારી લેવામાં આવે તો મોટી દુર્ઘટનાને ટાળી શકાય તેવી લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે.