હિંમતનગરના માલીવાડમાં સરકારી જમીનમાં 32 મિલકતો ડેપ્યૂટી સરપંચ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરને અડીને આવેલ માલીવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં બંધ થઇ ગયેલ ખાણમાં પુરાણ થયા બાદ ગેરકાયદે મકાનોના બાંધકામ કરી પરપ્રાંતિઓને ભાડે આપી દેવાયા હોવાની અને ગત રવિવારે હિંમતનગરમાં શોભાયાત્રા પર હુમલો થયા બાદ બીજા દિવસે એટલે કે સોમવારે રાત્રે મહદ્દઅંશે અસમાજિક તત્વો સક્રિય બની જઇ આ જ લોકોએ દેકારો મચાવ્યાની રજૂઆત થયા બાદ તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવતા ડેપ્યુટી સરપંચ, તેણે બનાવેલ ટ્રસ્ટ અને તેના સગાંવહાલાના નામે પંચાયત રેકર્ડમાં ચડી ગયેલ 32 જેટલી મિલકતોની વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. જેને પગલે પંચાયતમાં ખોટી આકારણી કરી વીજકનેક્શન અપાવવામાં સહાયરૂપ થનારાઓમાં દોડધામ મચી છે.

ગત 10 એપ્રિલે હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા અને પોલીસ પર હુમલો થયા બાદ શહેરના ચોક્કસ વિસ્તારોમાં પણ અસામાજીક તત્વો સક્રિય બન્યા હતા અને બીજા દિવસે 11 એપ્રિલ એટલે કે સોમવારે રાત્રે માલીવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં કથિત મૌલવીની ઉશ્કેરણી બાદ મોટું ટોળું એકઠુ થયું હતું અને દેકારો મચાવ્યો હતો.

આ મામલે સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ માલીવાડ પંચાયતમાં હુસેનાબાદ અને અડીને આવેલ રોશનીનગરમાં ગેરકાયદે રીતે 40 થી 50 કાચા પાક મકાનો બનાવી સ્થાનિક શખ્સે પરપ્રાંતિઓને ભાડે આપી દીધા હોવા અંગે અને વીજળી અને પાણી કનેક્શન માટે ગ્રામ પંચાયતના માધ્યમથી ખોટી રીતે આકારણીઓ કરી હોવા અંગે ઉચ્ચ અધિકારીને રજૂઆત કર્યા બાદ ઘોર નિંદ્રામાં પોઢી રહેલ તંત્ર સફાળું જાગી ગયું છે. જાણવા મળી રહ્યા મુજબ આ જગ્યા પર પહેલા ખાણકામ થતું હતું અને તંત્રએ ખાણકામ બંધ કરાવ્યા બાદ પુરાણ કરાયું છે. જેની ઉપર કાચા પાકા મકાનોનુ બાંધકામ થયુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.