આજથી દશામાના વ્રતનો પ્રારંભ:ભક્તોએ ઘરે શુભ મુહૂર્તમાં માતાજીનું સ્થાપન કર્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

આજથી ધાર્મિક તહેવારોનો પ્રારંભ થયો છે. ત્યારે આ વખતે અધિક શ્રાવણ અને શ્રાવણ એમ બે માસ છે. સાથે અમાસને આજથી દશામાંના વ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે ભક્તોએ વાજતે-ગાજતે માતાજીની મૂર્તિ ખરીદી લાવ્યા બાદ ઘરમાં મુકી હતી. જયારે આજે વહેલી સવારે શુભ મુહૂર્તમાં માતાજીની મૂર્તિનું મંત્રોચ્ચાર સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું.અને માતાજીને શણગારવામાં આવ્યા હતા. ત્યારબાદ માતાજીનું ભક્તોએ પરિવાર સાથે એકઠા થઈને પૂજન બાદ આરતી કરી હતી.હિંમતનગર સહીત સાબરકાંઠા જિલ્લામાં ઠેર-ઠેર દશા માના મંદિરોમાં અને ભક્તોના ઘરે માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.અને દસ દિવસ માતાજીની સવાર સાંજ પૂજન અને આરતી કરી નકોડા ઉપવાસ કરી માતાજીની ભક્તો ઉપાસના કરશે. ઘર પરિવાર સહિત સૌની રક્ષા અને દીર્ઘાયુના આશીર્વાદ આપતા દશા માની ઘરે-ઘરે ભક્તોએ સ્થાપના કરી દીધી છે. કેટલાક મંદિરોમાં માતાજીના ગરબાનું પણ આયોજના કરવામાં આવે છે અને દસ દિવસ પૂર્ણ થયા બાદ દશમાં દિવસે આખી રાત જાગરણ કરીને ભક્તો માતાજીને વાજતે ગાજતે નદી-તળાવમાં વિસર્જન કરીને વ્રત પૂર્ણ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.