સાબરકાંઠામાં કપાસમાં રૂ.200નો ઘટાડો, નિકાસની નીતિમાં સુધારો કરવા વેપારીઓની માગ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠામાં ગત વર્ષે કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને રૂ.૨૦૦૦ હજારથી વધુ ભાવ મળ્યો હતો. જેને લઈને ખેડૂતોએ કપાસના વાવેતર તરફ વળ્યા હતા અને જિલ્લામાં 48 હજાર હેક્ટરમાં વાવેતર કર્યું હતું. દિવાળી પર કોટન માર્કેટમાં તૈયાર થયેલા કપાસને વેચવા આવતા ખેડૂતોને રૂ.1900 નો ભાવ મળ્યો હતો. તો હાલમાં રૂ.1600 ની આસપાસ ભાવ થયો છે. જેને લઈને રૂ.200નો ઘટાડો જોવા મળ્યો છે. જેને લઈને ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

નિકાસ નીતિમાં સરકારે ડ્યુટીમાં વધારો હોવાને લઈને કપાસની ઘાસડીઓનો ભાવ વધુ હોવાથી નિકાસ થઇ શકતી નથી. જેને લઈને નિકાસ બંધ થઇ ગઈ છે અને કપાસનો ભરાવો થવાને કારણે હાલમાં ભાવ ઘટ્યા છે. હાલમાં રૂ. 67 હજારની આજુબાજુના ભાવે ગાંસડીની ખરીદી થઈ રહી છે. વિદેશમાં વાયદામાં ગાંસડીનો ભાવ રૂ. 57 હજાર ચાલી રહ્યો છે. જેને લઈને નિકાસમાં ગાંસડીએ રૂ.10 હજારનું નુકસાન જાય તેમ છે. જેને લઈને વિદેશમાં નાણાંકીય સ્થિતિ બગડતાં કપાસની નિકાસ પણ પરવડે તેમ નથી. તો હાલમાં વધુ ભાવની રાહ જોઇને પણ ખેડૂતો કપાસ વેચાણ કરવા આવી રહ્યા નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.