હિંમતનગરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં બે મહિનામાં ત્રીજીવાર વાતવરણમાં પલટો આવ્યો છે અને સતત બીજા દિવસે પણ વાદળો યથાવત રહ્યો છે. બે વખત પલટો આવ્યો હતો. ત્યારબાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. તો હવે ત્રીજીવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં ફરી વાર વધારો થયો છે.

ડીસેમ્બર બાદ જાન્યુઆરીમાં બે મહિનામાં બે વાર વાતારવરણમાં પલટો આવ્યા બાદ ફેબ્રુઆરીમાં પણ વાતાવરણમાં આજે વહેલી સવારથી પલટો આવ્યો છે. હિંમતનગર વહેલી સવારથી આકાશ વાદળથી ઘેરાયું હતું. ત્યારબાદ આકાશમાં વાદળો વચ્ચે સુરજદાદાની સંતાકુકડીની રમત જોવા મળી હતી. તો વાદળોને લઈને ગરમી વધી છે.

હાલમાં રવિ સીઝનનો મુખ્ય પાક ઘઉં અને બટાકા તૈયાર થઇ ગયા છે. તો ઘઉંનો પાક તૈયાર ખેતરમાં ઉભો છે અને વાતાવરણમાં પલટો આવ્યા બાદ આકાશ વાદળોથી ઘેરાયું છે. જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો ખેતરમાં ઘઉંનો તૈયાર પાક થઇ ગયો હોવાથી ખેડૂતે ઘઉંની કાપણી શરુ કરી છે. તો બટાકા પણ બહાર કાઢવાના શરુ કર્યા છે. તો બીજી તરફ સતાત્બીજા દિવસે આકાશમાં વાદળોને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

વાતાવરમાં પલટો આવતા નવાના રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સતત બીજા દિવસે વહેલી સવારથી વાદળો આવી ગયા છે અને ખેતરમાં ઘઉંનો પાક તૈયાર થઇ ગયો છે. હવે કાઢવાનું શરુ કર્યું છે ઉભા પાકમાં કાપણી કર્યા બાદ થ્રેસરમાં કાઢવાના છે. દરમિયાન વરસાદના છાંટા પડે તો ઘઉંમાં ડાઘી પડે અને ભાવ પણ ઓછો થઇ શકે છે. એટલે સતત બીજા દિવસે વાદળાથી ચિંતા વધી છે.

જિલ્લામાં રવિ સિઝનમાં વિવિધ પાકોનું 1 લાખ 44 હજાર 585 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં 86,099 હેક્ટરમાં ઘઉં અને 24,661 હેક્ટરમાં બટાકા અને વિવિધ પાકો શાકભાજી અને ઘાસચારો વાવેતર કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.