હિંમતનગરના બળવંતપુરાની જર્જરિત આંગણવાડીમાં અકસ્માત સર્જશે

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરને અડીને આવેલ બળવંતપુરાની જર્જરિત બની ગયેલ આંગણવાડીમાં જીવના જોખમે બાળકો અભ્યાસ અર્થે આવી રહ્યા છે. છતનાં પોપડા ખરી પડ્યા છે. લોખંડના કાટ ખાઈ ગયેલા સળિયા જોવા મળી રહ્યા છે. આંગણવાડીની દીવાલો પર લીલ-ફૂગના થર જામ્યા છે. ઠેર ઠેર પ્લાસ્ટરના થીંગડા માર્યા છે. ગત માસમાં હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં છતનું પ્લાસ્ટર અને લોખંડ વર્ષો જૂનું અને જર્જરિત થઈ જવાને કારણે મોડી રાત્રે પંખો નીચે પડતા પંખા નીચે સૂઈ રહેલ માતા દીકરીનું મોત થવાની ચકચારી ઘટના બની હતી. તેની ઉપરથી પણ તંત્રે પદાર્થ પાઠ શીખ્યો નથી.બળવંતપુરા આંગણવાડીમાં જર્જર મકાનમાં બાળકો જીવના જોખમે પંખા નીચે બેસે છે કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોણ સ્વીકારશે તે બાબત યક્ષ પ્રશ્ન બની રહી છે. ઉચ્ચ અધિકારીઓના દાબથી સંચાલિકાઓ થરથર કાપે છે અને હરફ સુદ્ધા ઉચ્ચારવા તૈયાર નથી. આંગણવાડી તંત્રની બેદરકારીને પ્રસ્તૂત કરવાનું એકમાત્ર ઉદાહરણ છે. નવા બળવંતપુરા પંચાયતને આંગણવાડીની સ્થિતિ અંગે લેખિત જાણ કરાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.