હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં ટેકનિકલ ખામી દૂર થતા 15 દિવસ બાદ સીટી સ્કેન મશીન ફરી શરૂ થયું

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર સિવિલમાં શરT થયાના 13 દિવસ બાદ ટેકનિકલ ખામીને કારણે બંધ પડેલું સીટી સ્કેન મશીન 15 દિવસ બાદ શરૂ થયું છે.તો બે દિવસમાં 17 દર્દીઓના સીટી સ્કેન લાભ લીધો હતો.હિંમતનગર સિવિલમાં બે વર્ષ અગાઉ પોણા બે કરોડના ખર્ચે સીટી સ્કેન સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી. થોડા જ સમય બાદ મશીનમાં ટેકનિકલ ખામીથી સુવિધા બંધ પડી ગઈ હતી. દોઢ વર્ષથી વધુના સમયગાળા સુધી સીટી સ્કેન મશીન બંધ પડી રહ્યું હતું. આ સુવિધા ફરીથી 13 ડિસેમ્બરે સીટી સ્કેન સુવિધા ફરીથી કાર્યરત થઈ હતી. જે ફરીથી 26 ડિસેમ્બરે ટેકનિકલ ખામીને કારણે બંધ થઇ ગયું હતું. જેની રીપેરીંગ કામગીરી કંપનીના ટેકનીશીયનો દ્વારા શરૂ કરવામાં આવી હતી. 9 જાન્યુઆરીએ 15 દિવસ બાદ ટેકનિકલ ખામી દૂર થતા ફરીથી સીટીસ્કેન મશીન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે 10 દર્દીઓના સીટીસ્કેન કરવામાં આવ્યા હતા.13 દિવસ સુધી સીટી સ્કેન મશીન ચાલુ રહ્યું હતું. જેમાં 153 લોકોએ તેનો લાભ લીધો હતો.


આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેટ પરેશ શિલાદરીયાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, 13 ડિસેમ્બરે સીટી સ્કેન મશીન કાર્યરત થઈ ગયું હતું પણ 26 તારીખે ટેકનિકલ ખામી સર્જાતા ફરી મશીન બંધ પડી ગયું છે. ટેકનિશિયનો દ્વારા રિપેરિંગની કામગીરી કરી ટેકનિકલ ખામી દૂર કરીને 9 જાન્યુઆરીએ ફરીથી સીટી સ્કેન મશીન શરૂ થઇ ગયું છે. જેમાં 9 અને 10 જાન્યુઆરીએ 17 દર્દીઓએ સીટીસ્કેનનો લાભ લીધો છે. તો સિવિલના વિવિધ વિભાગમાં સીટી સ્કેન શરુ થયાનો મેસેજ પણ કરવામાં આવ્યો છે, જેને લઈને દર્દીઓ લાભ લઇ શકે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.