હિંમતનગર રેલવે સ્ટેશનની ADRMએ મુલાકાત લીધી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશનનો પણ અમૃત સ્ટેશનમાં સમાવેશ થયો છે. જેને લઈને અગામી 6 ઓગસ્ટના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશન પર વીડિયો કોન્ફરન્સ દ્વારા ખાતમુહૂર્ત કરવાના કાર્યક્રમનું આયોજન કરવાની તૈયારીને લઈને અધિકારીઓની હિંમતનગર રેલવે સ્ટેશન પર મુલાકાતની શરૂઆત થઇ છે.હિંમતનગર રેલવે સ્ટેશન પર 6 ઓગસ્ટને રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોના અમૃત સ્ટેશનમાં સમાવેશ થયેલા રેલવે સ્ટેશનો પર ખાતમુહૂર્ત થવાનું છે. જેને લઈને તૈયારીઓ શરુ થઇ ગઈ છે. ત્યારે હિંમતનગર રેલવે સ્ટેશન પર અમદાવાદ મંડળના ADRM લોકેશકુમાર મીણા આજે સાંજે અસારવા-ઇન્દોર રેલવેમાં હિંમતનગર રેલવે સ્ટેશન પર 4 વાગે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની સાથે સેક્શનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રવિવારે યોજાનાર કાર્યક્રમ સ્થળ પર અધિકારીઓને વિવિધ કામગીરીની ચર્ચા સાથે સૂચનો આપી હતી. ઉપરાંત કાર્યક્રમની પ્રચાર પ્રસાર માટે પણ ચર્ચા કરી હતી. 20 મિનિટ સુધી કાર્યક્રમ સ્થળ પર હાજર રહ્યા હતા. ત્યાર બાદ અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ નિધારિત સમયે પરત અમદાવાદ જવા રવાના થયા હતા. સ્ટેશન નજીક મંડપ અને સ્ટેજ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.