વિજાપુરના કુકરવાડાનો વેપારી યુવાન સાયકલ લઈને અયોધ્યા જવા નીકળ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે કુકરવાડાથી અયોધ્યા સાયકલ લઈને જતા વેપારી યુવકની ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. તો હિંમતનગરમાં મહેતાપુરામાં સ્થાનિકો દ્વારા શ્રીફળ આપી જયશ્રી રામના નારા સાથે સ્વાગત કર્યું હતું.મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના 23 વર્ષીય કેશવકુમાર પુખરાજભાઈ પુરોહિત પોતે બારદાનનું ટ્રેડીંગ કરે છે. જે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભગવાન શ્રીરામના દર્શને જવા માટે બુધવારે સવારે 9:30 વાગે સાયકલ લઈને નીકળ્યો હતો. જે હિંમતનગર સાંજે આવી પહોચ્યો હતો. તો કુકરવાડાથી હિંમતનગર સુધીમાં અલગ અલગ સ્થળે સ્થાનિકો અને હિંદુ સંગઠનો દ્વારા યુવકનું સ્વાગત કર્યું હતું.


હિંમતનગરના મહેતાપુરા ત્રિવેણી હાઇસ્કુલ પાસે અયોધ્યા સાઈકલ લઈને જતા યુવકનું સ્વાગત કર્યું હતું અને શ્રીફળ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ મોતીપુરા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે સ્થાનિકોએ સ્વાગત કર્યું હતું. આમ 15 જગ્યાએ અલગ અલગ સ્થળ પર સ્વાગતને લઈને રોકાણ કરતા કરતા જવું પડ્યું હતું.આ અંગે સાઈકલ લઈને અયોધ્યા જતા કેશવકુમાર પુખરાજભાઈ પુરોહિતએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, મને ઈચ્છા થઇ એટલે સાયકલ લઈને અયોધ્યા દર્શન કરવા નીકળ્યો છું અને કુકરવાડાથી અયોધ્યા 1300 કિમી અંતર છે. જેને લઈને રોજના 90 કિમી સાયકલ ચલાવવી પડે છે. જેથી 22 તારીખે પહોંચી જઈશ. રસ્તામાં ઠેર ઠેર મારું સ્વાગત કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.