પ્રાંતિજના પિલુદ્રા નજીક બાઈક સ્લીપ ખાઈ જતા યુવાનનું મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

પ્રાંતિજના પિલુદ્રા પાટીયા પાસે શનિવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે છાલા મુકામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહેલા હિંમતનગરના યુવાનનું બાઈક સ્લીપ ખાઈ જતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશનો કબજો લઈ પ્રાંતિજ ખાતેની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.

હિંમતનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને નંદન કુરિયરમાં ફરજ બજાવતા અશ્વિનભાઈ જોશી શનિવારે સાંજે હિંમતનગરથી સામાજિક પ્રસંગમાં હાજરી આપવા છાલા મુકામે ગયા હતા. તે દરમિયાન સામાજિક પ્રસંગમાં હાજરી આપીને હિંમતનગર પરત ફરી રહેલા અશ્વિનભાઈ જોશીને પ્રાંતિજના પિલુદ્રા પાટીયા પાસે અગમ્ય કારણોસર બાઈક સ્લીપ ખાઈ જતા તેઓ જમીન ઉપર પટકાયા હતા. શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

રાત્રિના આઠ વાગ્યાના સુમારે થયેલા માર્ગ અકસ્માતને લઈને આજુબાજુમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ અકસ્માતની ઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશનો કબજો લઈ પ્રાંતિજ ખાતેની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.