ઈડરના વડીયાવીર બિલેશ્વરધામમાં 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજીત પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનોખું આયોજન

સાબરકાંઠા
સાબરકાંઠા

22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં થનારી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઈડરના વડીયાવીર બિલેશ્વરધામ મંદિર અને ગામમાં 51,000 દિવડા પ્રગટાવવાનું અનોખું આયોજન કરાયું છે.


સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વડિયાવિર ગામ પાસે આવેલ બિલેશ્વર ધામના મહંત શાંતિગીરી મહરાજને અયોધ્યામાં ભગવાન શ્રીરામ જન્મભૂમિ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બિલેશ્વર ધામ અને વડિયાવિર ગામમાં 22 જાન્યુઆરીના રોજ સાંજે 51,000 દિવડા પ્રગટાવવાનું આયોજન કરાયું છે. સમગ્ર ગામના 300 ઘરમાં એક ઘર દીઠ 100 દિવડા લેખે 30,000 દિવડા અને 21,000 દિવડા બિલેશ્વર ધામ મંદિરમાં પ્રગટાવવામાં આવશે અને હર્ષ ઉલ્લાસ સાથે ફટાકડા ફોડી દીવાળીના જેવો ભવ્ય તહેવાર મનાવવામાં આવશે. ત્યારે આ પ્રસંગે ગામના તમામ યુવાનો અને વડીલો આનંદ અને ઉલ્લાસ સાથે જોડાઈને દરેક ઘરે તેલ અને દિવડા પહોચાડવાની જવાબદારી લીધેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.