આંતરસુબા પ્રાથમિક શાળા ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

વિજયનગરના આંતરસુબ્બામાં જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ શ્રમ અને રોજગાર, નાગરિક ઉડ્ડયન મંત્રીની ઉપસ્થિતિમાં PM જનમન કાર્યક્રમ 15 જાન્યુઆરીના રોજ યોજાશે. જેને લઈને આજે કલેક્ટરની અધ્યક્ષતામાં રીહર્સલ યોજાયું હતું. સમગ્ર રાજ્યમાં અને દેશમાં વસવાટ કરતા 75 આદિમ જૂથના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ જન મન અભિયાન આરંભાયું છે. આ અભિયાન અંતર્ગત વડાપ્રધાન સમગ્ર દેશના આદિમ જૂથો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધશે. ત્યારે શનિવારે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના 10 ગામોમાં આદિમ જૂથ કાથોડી સમાજના 260 પરિવારો વસવાટ કરે છે. વિજયનગર આંતરસુબા ખાતે પીએમ જનમન કાર્યક્રમ જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ, શ્રમ અને રોજગાર, નાગરિક ઉડડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આંતરસુબા પ્રાથમિક શાળા ખાતે સવારે 10 કલાકે યોજાશે.


આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે રિહર્સલ કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં કલેક્ટર દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.પી.પાટીદાર, પ્રાયોજના વહીવટદાર વિશાલ સકસેના, ખેડબ્રહ્મા પ્રાંત વંદનાબેન પરમાર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.