હિંમતનગરના કાંકરોલથી મોતીપુરા સુધીના નેશનલ હાઇવે વાહનોની લાંબી લાઇન લાગી
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેર નજીકથી પસાર થતા અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઇવે પર આજે દિવસ દરમિયાન અને સાંજે મોતીપુરાથી કાંકરોલ સુધી રોડ પર ટ્રાફિક જામ થતા બંને તરફ વાહનોની લાંબી લાઇન લાગી છે. આ રોડ પર વારંવાર ટ્રાફિક થવાની સમસ્યા સર્જાય છે પરંતુ કોઈ ઉકેલ આવતો નથી.અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઇવે ફોર લેનનું સિક્સ લેનમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. ટોઆ કામગીરી દરમિયાન ઓવરબ્રિજની કામગીરી પણ ચાલી રહી છે. જેથી વાહનોની અવર જ્વર પર અસર જોવા મળી રહી છે. દેવદિવાળી ને સોમવારે સવારથી હિંમતનગર મોતીપુરાથી કાંકરોલ સુધીમાં નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામ થયો હતો.તો સાંજે કાંકરોલથી મોતીપુરા સુધી ટ્રાફિક જામ થતા લાંબી વાહનોની લાઈનો લાગી હતી. આ 5 કીમી સુધીના રોડ પર સહકારી જિન ચાર રસ્તા, નવી સિવિલ ચાર રસ્તા અને મોતીપુરા ત્રણ રસ્તા આવેલા છે. જેને લઈને નેશનલ હાઇવે પર અવર જવર કરતા વાહનો ઉપરાંત હિંમતનગર શહેરમાંથી બહાર નીકળતા વાહનોની અવર જવર થાય છે.
સહકારી જિન ચાર રસ્તા અને મોતીપુરા ત્રણ રસ્તા બંને સ્થળ પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. તો સર્વિસ રોડ પર મોટા ખાડા હોવાને લઈને વાહનની ગતિ ધીમી કરવી પડે છે. ત્યારે શહેરમાંથી હડિયોલ તરફ વાહનોની અવર-જવર શરૂ થાય જેને લઈને હાઈવેના વાહનોની અવર જવર બંધ થાય છે. જે વારંવાર થવાના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.સહકારી જિનથી કાંકરોલ અને સહકારી જિનથી મોતીપુરા સુધી લાંબી વાહનોની લાઇન લાગી હતી. બીજી તરફ ટ્રાફિકને પૂર્વવત કરવા માટે ટ્રાફિક પોલીસ પણ ઓછી જોવા મળી હતી. જ્યારે તમામ પરિસ્થિતિ એક સાથે સર્જાઇ હતી. જેથી ચાર કીમી સુધી નેશનલ હાઇવે પર લાઇન લાગી હતી. આ ટ્રાફિક જામ આજે દિવસ દરમિયાન ઉપરાંત રોજબરોજની સમસ્યા છે. જેને લઈને વાહન ચાલકો પરેશાન થાય છે.