ધરોઈ જળાશયમાં પાણીની આવકમાં ઘટાડો થતા એક ગેટ બંધ કરાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

ધરોઈ જળાશયમાં ગતરોજ આવક વધવાને લઈને ચોમાસામાં પ્રથમવાર એક ગેટ ખોલીને 4618 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ પાણીની આવકમાં વધારો થતા સાંજે બીજો ગેટ ખોલવામાં આવ્યો હતો અને નદીમાં 9200થી વધુ પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે સોમવારે સવારે જળાશયમાં પાણીની આવકમાં ઘટાડો થવાને લઈને એક ગેટ બંધ કરવામાં આવ્યો છે. જયારે એક ગેટ સાડા ત્રણ ફૂટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. 86.56 ટકા ભરાયેલા ધરોઇમાં હાલમાં 6212 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે. સામે 6212 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ જળાશય માંથી નદીમાં પાણી છોડવામાં આવતા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે જોવા મળી હતી. જ્યારે આજે અધિક શ્રાવણ માસનો સોમવાર છે. ત્યારે વહેલી સવારથી ભક્તોએ મંદિરે પહોંચી શિવજીના દર્શન કર્યા હતા. તો ચોમાસામાં નદીમાં પ્રથમવાર પાણી આવ્યું અને એ પણ બે કાંઠે વહેતી નદી જોવા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.