મોડાસા ખાતે સાંસદ તથા જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને વન મહોત્સવ યોજાયો

અરવલ્લી
અરવલ્લી

આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો.અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના પટાગણમાં જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ અને સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગના ઉચ્ચ અધિકરીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં જંગલ બચાવવા અને જંગલી ઔષધિ મેળવવા, જંગલમાં વન્ય પ્રાણીઓના રક્ષણ માટે જંગલ બચાવવું જરૂરી છે અને વૃક્ષો વાવવા જરૂરી છે. વૃક્ષો વાવીને વૃક્ષોનું જતન કરવા માટે ઉપસ્થિત દરેકને આહવાન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.