હિંમતનગરમાં રહેતો પરિવાર સગાઇના પ્રસંગમાં હાજરી આપવા ગયો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રહેવાસી ચેતનપ્રકાશ ધર્મારામ જોશી, જ્યોતિષનો વ્યવસાય કર છે. ત્યારે તેમની સાળીની સગાઈ હોવાથી તેઓ પરિવાર સાથે ગત 2 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાન ગયા હતા અને સાત ફેબ્રુઆરીએ પરત આવ્યા હતા.

જોકે ચેતનપ્રકાશ જોશી પરિવાર સાથે ઘરે આવ્યા ત્યારે ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલાતમાં જણાયું હતું હતું. જેથી ઘરમાં જઈ જોતા અંદર બધું સામાન અસ્ત-વ્યસ્ત જોવા મળ્યો હતો. બેડરૂમમાં તિજોરીનું લોક પણ તૂટેલું જણાયું હતું. તસ્કરો ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા ત્રણ લાખ મળીને કુલ 12.60 લાખ રૂપિયાની ચોરી કરી ગયા હતા. આ સમગ્ર મામલે ચેતનપ્રકાશે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.