સાબરકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરી : ખેડબ્રહ્મામાં જ્યોતિ વિદ્યાલયના મેદાનમાં રીહર્સલ યોજાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મામાં જ્યોતિ વિદ્યાલયના મેદાનમાં આજે રીહર્સલ યોજાયું હતું. 26મી જાન્યુઆરી 2024ના રોજ પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી ખેડબ્રહ્મા ખાતે આવેલા સંતશ્રી નથ્થુરામબાપા જ્યોતિ વિધ્યાલય ખાતે કરવામાં આવનાર છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાકક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું બુધવારે રિહર્સલ કરવામાં આવ્યું હતું.આ રિહર્સલમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ તિરંગાને સલામી આપવામાં આવી હતી. રિહર્સલ દરમિયાન કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.