![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/સાબરકાંઠાના-01-hed.jpg)
સાબરકાંઠાના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરાઈ : ઈમારતમાં આગ લાગવાની ઘટનામાં અનેક ભારતીયોના મોત થયા હતા
ગુજરાતનાં 10 લોકોની કુવૈતમાં ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં કુવૈતમાં એક ઈમારતમાં આગ લાગવાની ઘટનામાં અનેક ભારતીયોના મોત થયા હતા. જેના કારણે કુવૈતમાં જૂની ઈમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે. જેના કારણે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દધવ ગામના 10 લોકોની કુવૈત પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આ લોકોની કુવૈતમાં કાનૂન ભંગ કરવાને લઈને ધરપકડ કરાઈ છે. જોકે કુવૈતમાં કુલ 523 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 10 લોકો ગુજરાતી છે.
તો વિજયનગરમાં રહેતા દઢવાવનાં કલાક પરિવારના 10 લોકો બિન અધિકૃત રીતે કુવૈતમાં જઈ રહ્યા હતાં. આ તમામ લોકો કુવૈતમાં રહેતા તેમના સગા-સંબંધીઓને મળવા માટે કુવૈતમાં આવ્યા હતાં. તો આ 10 લોકો કુવૈત માં રોજગારી માટે ગયા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું છે. તો સાબરકાંઠાના સાંસદ શોભાબેન બારૈયા અને સાંસદ સમીલાબેન બારાએ વિદેશ મંત્રાલયને આ અંગે રજૂઆત કરી છે. જોકે હાલમાં આ ઘટનાને લઈ 10 લોકોના પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.