હિંમતનગરમાં રાજકીય ભૂંકપ, ભાજપના ૩૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ખળભળાટ

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ હિંમતનગર : હિંમતનગરમાં ભાજપની કામગીરીથી નાખુશ થયેલા ૩૦ જેટલા ભાજપના કાર્યકરો રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે. અત્યારસુધી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવા માટે લાઈનો લાગતી હતી. હવે ઉલટી ગંગા વહી છે. ભાજપમાંથી ૩૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
હિંમતનગર વિધાનસભાના પૂર્વ ઉમેદવાર કમલેશ પટેલના ત્યા આજે ૩૦ જેટલા કાર્યકરો પહોચ્યા હતા.જ્યાં તેમણે એવું કહ્યું કે કોરોના કહેરમાં લોકોની મદદ કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. ત્યાર બાદમાં તેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા.
લોક ડાઉનમાં છૂટછાટ મળતા જ હવે સાબરકાંઠા જીલ્લામાં રાજકીય ગતિવિધિ તેજ બની છે.હિમતનગરમાં ભાજપ સરકારની કામગીરીથી અસંતુષ્ટ થયા હતા.અને જણાવ્યું કે કોંગ્રેસનાં પંજા સાથે હાથ મિલાવ્યો હે, હિમતનગર વિધાનસભાના પૂર્વ ઉમેદવાર કમલેશ પટેલના ત્યાં આજે ૩૦ જેટલા બારોટ સમાજના કાર્યકરો પહોચ્યા હતા. કોરોનાના કહેરમાં લોકોને સહયોગ આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાથી તેઓ ભાજપમાંથી કોગ્રેસમાં જોડાયા હોવાનું જણાવ્યુ હતું.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.