સાબરકાંઠા; રેલવે અન્ડર બ્રિજમાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાયું

સાબરકાંઠા; રેલવે અન્ડર બ્રિજમાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાયું

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકામાં કમોસમી વરસાદે દસ્તક દીધી છે. ઇડર તાલુકામાં સૌથી વધુ 57 મિમી (અઢી ઇંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વડાલીમાં 15 મિમી, પોશીનામાં 11 મિમી, ખેડબ્રહ્મામાં 6 મિમી અને વિજયનગરમાં 2 મિમી વરસાદ પડ્યો છે. ઇડરમાં ચાર કલાક દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા અન્ડર બ્રિજમાં પાણી ભરાવાને કારણે ઇડર-અંબાજી સ્ટેટ હાઈવે પરનો ટ્રાફિક લાલોડા ગામ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. શનિવારે રાત્રે ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી અને પોશીના તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. રેલવે અન્ડર બ્રિજમાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાયું હતું. આ સ્થિતિને પહોંચી વળવા મોટરો મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં મોટા વાહનો અન્ડર બ્રિજના એક માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *