સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં આદિજાતિ વિભાગની બોર્ડર વિલેઝ યોજના અંતર્ગત થયેલી કામગીરી, કૃષિ યાંત્રિકીકરણ યોજના, જળ સંચય, વન અધિકાર અધિનિયમ,વિશ્રામ ગૃહ, શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાનું પાણી પહોંચે છે કે કેમ, કેનાલની સાફ સફાઈ, રોડ રસ્તાના પ્રશ્નો જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો પદાધિકારીઓ દ્રારા રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્રારા પુછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા તેમજ સરકારી લેણાની વસુલાત અંગે જણાવ્યું હતું. તેમજ આવનાર સંકલન બેઠકમાં વાર્ષિક આયોજન લઈ ઉપસ્થિત રહેવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *