હેવી લાઇટોના કારણે રાત્રી દરમિયાન સામેના વાહન ચાલકની આંખો અંજાઈ જવાથી અકસ્માત સર્જાવાની ભીતિ; બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વાહન ચાલકો કંપની દ્વારા આપેલી લાઈટોની જગ્યાએ હેવી વાઈટ લાઈટો લગાવતા હોય છે .જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાતી હોય છે. જેથી સરકાર દ્વારા કંપની મારફત ગાડીઓમાં લગાવેલી જ લાઈટોનો ઉપયોગ કરવો, જેથી અકસ્માતો નિવારી શકાય તેવી આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વાહન ચાલકોએ કંપની દ્વારા લગાવેલી લાઇટોને ગાડીઓમાંથી નીકાળી હેવી વાઈટ લાઈટો લગાવી ગાડીમાં શો ઉભો કરતા હોય છે. પરંતુ એ કોઈકના માટે મોતનું કારણ પણ બની શકે તેમ છે. જેના કારણે બનાસકાંઠા આરટીઓ અને પોલીસ દ્વારા આ બાબતે અવાર નવાર રાત્રી દરમિયાન ચેકિંગ કરી કંપની દ્વારા લગાવવામાં આવેલી તેમજ સરકાર દ્વારા નક્કી કરેલા નીતિ નિયમ મુજબ વોલ્ટેજ સિવાયની હેવી વાઈટ લાઈટો ગાડીમાં લગાવેલી હોય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. આ બાબતે આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરાઈ છે કે સરકાર દ્વારા જે વાહનમાં જે વોલ્ટેજની લાઈટો માટે એપ્રુવ આપવામાં આવી હોય તે જ વોલ્ટેજની લાઈટો લગાવવી જેના કારણે અકસ્માતોનું પ્રમાણ અટકાવી શકાય.

