સુઈગામ,વાવ થરાદના પુરગ્રસ્ત વિસ્તારમાં રાહત સામગ્રીની કીટ મોકલશે..!
સુઈગામ વાવ થરાદ અને ભાભર વિસ્તારમાં અતિ ભારે વરસાદ ને કારણે ભયાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને ત્યાંના લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આ ગંભીર સ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે રાહત સામગ્રી અને ફ્રૂટ પેકેટ પહોંચાડવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બનાસકાંઠા વિભાગ ના સહ કાર્યવાહ લાલુભાઇ દેસાઈ એ જણાવ્યું હતું કે આ રાહત કાર્ય અંતર્ગત પાલનપુર ખાતે 5,000 થી વધુ રાહત સામગ્રીની કીટો જેમાં ડુંગળી, બટાકા, લોટ, મરચું, હળદર, સિંગ ચણા, તેલ અને ગોળ સહિતની જરૂરિયાતની સામગ્રી સાથેની કીટ બનાવવા માટે લગભગ 300 જેટલા કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. અને થરાદ ખાતે 200 જેટલા કાર્યકર્તાઓ ફૂડ પેકેટ બનાવી રહ્યા છે તેમજ આ કીટ અને ફૂડ પેકેટ અસરગ્રસ્ત લોકો સુધી પહોંચાડવા માટે ડીસા ના 100 થી વધુ કાર્યકર્તાઓ જોડાયા છે આમ કુલ 500 થી વધુ સંઘ ના સ્વયંસેવક આ અભિયાન માં કામે લાગ્યા છે.

