પાટણના હાંસાપૂર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રસ્ત

પાટણના હાંસાપૂર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રસ્ત

પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા માંગ ઉઠી

પાટણ શહેરના હાંસાપૂર વિસ્તારમાં સમર્પણ વિલા, ગણેશ વિહાર, રામવિલાસ, ગણેશ ધામ,આમિત્રી, રામદેવ તથા સુરમ્ય જેવી અનેક  સોસાયટી આવેલ છે. ત્યારે આ સોસાયટીના મુખ્ય માર્ગો પર છેલ્લા ઘણા સમયથી પાણી ભરાઈ રહેવાના કારણે રહીશો તથા રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં લાંબા સમયથી રોડ પર પાણી ભરાઈ રહેવાથી રોડની હાલત પણ એકદમ ખરાબ બની છે.તો તાજેતરમાં પાણીની પાઈપલાઈન તૂટવાના કારણે રસ્તાઓ પર સતત પાણી ભરાઈ રહેતું હોય જેના કારણે માગૅ પરથી પસાર થતાં વાહનચાલકો,વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધો સહિત ના રાહદારીઓને આવન- જાવન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

માગૅ પર પાણી ભરાવાથી મચ્છરોની ઉત્પત્તિ વધવાની સાથે રોગચાળો ફેલાવાની શક્યતાઓ પણ પ્રબળ બની છે. તો ચોમાસાની ઋતુમાં તો અહીંયા સતત વરસાદી પાણી ભરાઈ રહે છે. જેના કારણે વિસ્તારના લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાણી ભરાવાની સમસ્યા નું નિરાકરણ લાવે નહિ તો ના છુટકે વિસ્તારના લોકોને પાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *