સાબરકાંઠા જિલ્લામાં બિસ્માર થયેલા માર્ગોને મરામતની કામગીરી કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં બિસ્માર થયેલા માર્ગોને મરામતની કામગીરી કરાઈ

ચોમાસાના કારણે બિસ્માર થયેલા માર્ગોને યુદ્ધના ધોરણે મરામત કરવાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં તલોદ-હરસોલ રોડ પર વરસાદના કારણે રસ્તામાં પડેલ ખાડાને કોલ્ડ મિક્ષ દ્વારા મરામત કરવામાં આવી છે. આ સાથે ખેડબ્રહ્માના પરોયા ખાતે અતિભારે વરસાદના કારણે બોક્ષ કન્વર્ટના એપ્રોચમાં ધોવાણ થયું હતું તેમજ પ્રોટેકશન વોલ તુટી જતા તેની મરામત કરી રાહદારીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. માર્ગો પર વાહન વ્યવહાર ખોરંભાય નહીં અને માર્ગ તેમજ વાહન વ્યવહાર માટે સાનુકૂળ સ્થિતિ જળવાઈ રહે તે માટે બનતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં જ્યાં જ્યાં ખાડાઓ પડવાની સમસ્યા સર્જાઈ છે. ત્યાં માર્ગ મરામત અભિયાન અન્વયે સમારકામ કામગીરી બનતી ત્વરાએ થાય તે માટે બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *