Rakhewal | 12-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

દિયોદરની ગોદા કેનાલમાંથી કોથળામાં બાંધેલી મહિલાની લાશ મળતા ચકચાર, તેરવાડાની ગુમ મહિલાની લાશ હોવાનું ખુલ્યું.

દાંતાના જવારા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, છકડા ચાલક ફરાર : ત્રણ ઘાયલ.

ડીસામાં બાઇક ચોરીનો સિલસિલો યથાવત, આદર્શ હાઈસ્કૂલ નજીકથી વધુ એક બાઇક ચોરાયું.

મહેસાણા જીએસટીની ટીમે બનાસકાંઠા જિલ્લામાંથી ૧૪ લાખની કરચોરી ઝડપી.

બનાસકાંઠામાં માસ્ક ભંગ બદલ ૪.૨૬ કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો.

બનાસકાંઠા જિલ્લા પંચાયતના ૧,૫૦૦ આરોગ્ય કર્મચારી ગ્રેડ પે મામલે આવતીકાલથી હડતાલ ઉપર, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનેશન માટે ૧૧ સ્થળો નક્કી કરાયા, ૧૧૦૦ કોરોના વોરિયર્સની યાદી તૈયાર કરાઈ.

સુઇગામ નજીક ટ્રેલર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ૪ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત.

પાલનપુરમાં લવજેહાદ મામલે આવેદનપત્ર આપવા આવેલી હિન્દુ સમાજની મહિલાઓએ કલેકટર કચેરીએ રામધુન બોલાવી વિરોધ દર્શાવ્યો.

સાબરકાંઠામાં વધુ એકવાર લાખોની ખનીજ ચોરી ઝડપાઇ, ૧૦ ટ્રેક્ટર સહિત સાધનસામગ્રી ઝડપી.

ગુજરાતની 2021 થી 2025 સુધીની નવી પ્રવાસન નીતિ જાહેર, એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન, 15 લાખ સુધીની સબસીડી મળશે.

ભાવનગર-તળાજા રોડ પર પાંચપીપળા પાસે બાઇકને બચાવવા જતા કાર પલટી, મહુવા કોર્ટના બેલીફનું મોત, વકીલ ઇજાગ્રસ્ત.

13-14 જાન્યુઆરીએ અમિત શાહ ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં પોતાના સંસદીય ક્ષેત્રમાં ઉત્તરાયણની ઉજવણી કરશે.

ગુજરાતમાં 12 જાન્યુઆરીએ આવેલો વેક્સિનનો જથ્થો 1લી મેએ એક્સપાયર થશે, એક બોક્સમાં 1200 શીશી, રિટેલ માર્કેટમાં નહીં મળે.

રાજ્યમાં પ્રથમ દિવસે 50 ટકાથી ઓછી સ્કૂલો ખૂલી, 40 ટકાથી વધુ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ.

સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો, ગૂંચ ઉકેલવા 4 સભ્યની કમિટી બનાવાશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું – દેશનો સૌથી મોટો દુશ્મન રાજકીય વંશવાદ, યુવાનો રાજકારણમાં પ્રવેશ કરશે ત્યારે જ તેનો અંત આવશે.

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ : 5.1ની તીવ્રતાના ભૂકંપથી ઉધમપુર, કિશ્તવાડ, ડોડા અને પૂંછ ધણધણ્યા, ગભરાઈને લોકો ઘરની બહાર દોડી આવ્યા.

20 જાન્યુઆરીએ બાઈડેનના શપથ ગ્રહણ દરમિયાન હિંસા ફેલાવાનો ભય, તમામ 50 રાજ્ય સરકારો સતર્ક.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.