પાટણ : કોરોના વાયરસનો રીપોર્ટ નેગેટીવ આવતાં ૭ જણાં મુક્ત, સાજાં થયા તો ખુશી ઝળકી
રખેવાળ,પાટણ
પાટણ નજીક ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવારને અંતે સાજાં થયા છે. સારવારને અતે રીપોર્ટ નેગેટીવ આવતાં તમામને રજા અપાઇ છે. સાજાં થયા બાદ તમામે ખુશી વ્યક્ત કરી તબીબી ટીમનો આભાર માન્યો હતો. કોરોના સામેનો જંગ જીત્યા બાદ જાણે મોતના મુખમાંથી બહાર આવ્યા તેટલો આનંદ ઝળક્યો હતો. તમામ સાત વ્યક્તિઓ નેદ્રા ગામના હોવાનું સામે આવ્યુ છે.
પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામના ૭ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર પછી સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. નેદ્રા ગામના ૩ મહિલા અને ૪ પુરુષ સહિત સાત લોકોને કોરોના હોવાથી ધારપુર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આજે સારવારને અંતે તમામના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અગાઉ પણ ચાર દર્દીઓને રજા આપી હોઇ અત્યાર સુધી પાટણ જીલ્લામાં કુલ ૧૧ લોકો કોરોના સામેનો જંગ જીત્યા છે.