![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/Rakhewal-137.jpg)
‘તમે અમારા ભાઈ પર ફરિયાદ કેમ કરી?’ તેમ કહી રાધનપુરમાં ચાર શખ્સોએ ત્રણને ઢોર માર માર્યો
રાધનપુર તાલુકાના નાયતવાડા મોમાઇ માતાના મંદિરની આગળ ખુલ્લી જગ્યામાં અગાઉની ફરિયાદના મામલે સમાધાન કરવાની બાબતે ગઇકાલે બોલાચાલી અને મારામારી થઇ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, રાધનપુર નાયતવાડા ગામે રહેતા વિરમ જેઠાભાઇ રબારી તેમના પિતાને ત્યાં દૂધ આપવા માટે જતા હતા, ત્યારે ગામના ચાર વ્યક્તિઓએ હથિયારો સાથે આવીને વિરમના પિતાને કહ્યું હતું કે, તમે અમારા ભાઈ હરિ ઉપર અગાઉ ફરિયાદ કરી છે. તેનું સમાધાન કરી લો.’ તેમ કહીને બોલાચાલી કરી હતી.