ચાણસ્મા-હારીજ માર્ગ પર નર્મદા કેનાલમાં યુવાને મોતની છલાંગ લગાવી

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઈવે પરથી પસાર થતી કંબોઈની નર્મદા કેનાલમાંથી એક ઈસમની લાશ મળતા ચાણસ્મા પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પીએમ અર્થે ચાણસ્માની હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી. ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર આવેલ નર્મદા કેનાલમાં કોઈ અજાણ્યા ઇસમે મોતની છલાંગ લગાવી હોવાની જાણ સ્થાનિક તંત્ર થતાં તેઓએ ઘટના સ્થળે આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી નર્મદાની મુખ્ય કેનાલમાંથી આજે વહેલી સવારે લાશને બહાર કાઢી હતી તો બનાવની પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી કેનાલ પરથી મળી આવેલ બાઈક આધારે યુવાનની ઓળખ વિધિ હાથ ધરતા યુવાન હારીજનો જીતુ રાવળ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે લાશનું પંચનામું કરી ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડી મૃતક યુવાનના વાલીવારસોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. નર્મદા કેનાલમાં મોતની છલાગ લગાવનાર યુવાને કયા કારણોસર પોતાની જીવનલીલા સંકેલી લીધી છે તે જાણવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.