પાટણનાં શિવાલયો હર હર ભોલેના નાદથી ગૂંજ્યા

પાટણ
પાટણ

આજે શ્રાવણ માસ નો પ્રથમ સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાનાં શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.શહેરના શિવ મંદિરો વિવિધ આગી કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ભવિક ભક્તોએ લીધો હતો.શિવજીનો પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ ગુરુવાર શરૂ થયો છે.ત્યારે શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે પાટણ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ , બગેશ્વર મહાદેવ , નીલકંઠ મહાદેવ , ગુપ્તેશ્વર મહાદેવ , ત્રિપુરારેશ્વર મહાદેવ , મલેસ્વર મહાદેવ ,સિધેશ્વર મહાદેવ , જબરેસ્વર મહાદેવ , લોટેશ્વર મહાદેવ , ગૌકણેશ્વર મહાદેવ , મહાષૉકાન્ત મલહારે મહાદેવ , જાળેશ્વર મહાદેવ , આનંદેશ્વર મહાદેવ , સહિત ના શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનને બિલિપત્ર દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હતી.


આમ શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે શિવાલયો માં હરહર ભોળાનાથ અને ઓમ નામ શિવાયના નાદ ગુજયો હતો.તો શહેર ના હીંગળા ચાચર પાસે આવેલ હરિહરેશ્વર મહાદેવ ખાતે દિવાડા નો મનોરથ દર્શન માટે મુક્યો હતો.પાટણ શહેરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવાર સિદ્ધનાથ મહાદેવજી ના મંદિર થી નીલકંઠ મહાદેવ જી ના મંદિર સુધી કાવડ યાત્રા નીકળી હતી જે સિદ્ધનાથજી મહાદેવ મંદિર થી પારેવા સર્કલ – જૂના બસ સ્ટેન્ડ – બગવાડા દરવાજા – હિંગળાચાચર ચોક – જૂનાગંજ બજાર થઈ પંચોલી પાડો નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સમાપન થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.