![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/37.jpg)
પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમમાં 10 જેટલા અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કરાયું
પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકેલો છે. આજે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાંથી આવેલા 10 અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરે સ્વયં સાંભળી તે તમામ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. પાટણ જિલ્લા કચેરી કલેકટર કચેરીએ આજે 10 જેટલા અરજદારો પોતાના પ્રશ્નો લઈ જિલ્લા સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા.
આજના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત પોલીસ અધિક્ષક ની કચેરી, જિલ્લા પંચાયત, ડી. આઈ.એલ.આર.કચેરી, મામલતદાર, નગરપાલિકા, સીટી સર્વે સંબંધિત પ્રશ્નો મામલે કલેકટરને અરજદારોએ મૌખિક રજૂઆત કરી પોતાના પ્રશ્નો જણાવ્યા હતા. જે તમામ પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ માટે કલેકટરએ સંબંધિત અધિકારીને સૂચન કર્યું હતું.
આજે યોજાયેલા જિલ્લા સ્વાગતમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, DRDA નિયામક આર.કે. મકવાણા તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.