પાટણના સંખારી ગામના ગામ તળાવમાંથી આધેડ મહિલાની વિકૃત બનેલી લાશ મળી આવી

પાટણ
પાટણ

પોલીસ તપાસ દરમિયાન લાશ ગામના નાયક પરિવારના વૃદ્ધાની હોવાનું જણાતા પરિવારજનોને બોલાવી લાશ ને સુપ્રત કરી: પાટણ તાલુકાના સંખારી ગામના ગામ તળાવમાંથી શુક્રવારના રોજ કોઈ આધેડ મહિલાની વિકૃત હાલતમાં લાશ તરતી હોવાનું ગામ લોકોના ધ્યાને આવતા તેઓએ આ બાબતે પાટણ તાલુકા પોલીસ ની જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી તરવૈયાઓની મદદથી તળાવમાંથી વિકૃત બનેલી આધેડ મહિલાની લાશને બહાર કાઢી હતી.

તેની ઓળખ વિધિ કરતાં આ લાશ શંખારી ગામના બબીબેન બબાભાઈ નાયક ઉંમર વર્ષ 75 ની હોવાનું જાણવા મળતા પોલીસે તેના પરિવારજનોને ધટના સ્થળે બોલાવી લાશ ની ઓળખ વિધિ કરાવતાં  લાશ પોતાની માતાની હોવાનું અને તેઓ ત્રણેક દિવસ પહેલાં ઘરેથી અમદાવાદ પુત્રને ત્યાં જવું છે તેમ કહીને નીકળ્યા હોવાનું તેમજ તેઓ માનસિક રીતે પણ બીમાર હોવાનું જણાવી તેઓની દવા ચાલતી હોય બીમારી થી કંટાળી તેઓએ  ગામ તળાવમાં પડી પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું પરિવારજનોએ પોલીસ સમક્ષ જણાવતા તાલુકા પોલીસે પરિવારના સભ્યોના  જરૂરી જવાબો લખી લાશને પરિવારજનો ને સોંપવામાં આવી હોવાનું પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.