પાટણમાં જાહેરમાં ઘાસ જાહેરમાં ઘાસ ન નાંખવા પાલિકા પ્રમુખે બાંહેધરી માંગી
પાટણ શહેરમાં જાહેર માર્ગો ઉપર પશુઓને સવારનાં ભાગમાં ઘાસચારો નાંખવા માટે તેનું વેચાણ કરતા વેપારીઓને પાલિકાનાં કર્મચારીઓ ભગાડી મૂકતા હોવાથી ઘાસનાં વેપરીઓને રોજી રોટીમાં મુશ્કેલી પડી રીહ હોવાથી તેનાં ઉકેલ માટે પાટણ નગરપાલિકા ખાતે પ્રમુખ અને કારોબારી ચેરમેન સમક્ષ રજુઆતો કરી હતી.પાટણ શહેરમાં જાહેરમાં રોડ રસ્તા ઉપર ઘાસચારો વેચાતો હોવાથી ગાયોને ઘાસનું નિરણ નાંખનારા ધાર્મિક વૃત્તિવાળાઓ ઘાસ ખરીદીને દાન પૂર્ણ કરે છે. આ ઘાસ ખાવા માટે ગાયોનાં ટોળાં જાહેર માર્ગો ઉપર એકઠાં થતો હોવાથી અકસ્માતો અને લોકોને ઢોરથી ઈજા થવાનો ભય રહેલો હોવાથી પાટણ નગરપાલિકાનાં સત્તાધિશોનાં સૂચની નગરપાલિકાનાં કર્મચારીઓ આવા વેપારીઓનો ઘાસ પડાવી લઇને તેઓને પ્રતિબંધિત કરી ઘાસ ન વેચવા દબાણ કરતાં હોવાથી તેઓનાં ધંધા પર માઠી અસર પડતી હોવાથી તેઓને પાટણ પાલિકામાં રજૂઆત કરી હતી. રજુઆતકર્તા અને કારોબારી ચેરમેન વચ્ચે આ બાબતે ઉગ્ર ચર્ચાઓ પણ થઇ હતી. એક રજૂઆતકર્તાએ તો એમ પણ કહ્યું કે, અમે પ્રમુખને ફોન પણ ન કરી શકીએ? અમે પાકિસ્તાની નથી, તમે અમારા કારણે એક પણ એક્સીડન્ટ થયો હોય તો બતાવો. કારોબારી ચેરમેને અરવિંદ ભાઈ પટેલે કહ્યું કે, તમારા આ ઘાસ વેચવાનાં મામલે કલેક્ટર અમને ટપારે છે. પાલિકા પ્રમુખ સ્મિતા બેન પટેલે આ રજૂઆત કર્તાઓ પાસે લેખિતમાં બાંહેધરી માંગી હતી કે, હવે તેઓ જાહેર રસ્તા પર ઘાસ નહીં નાંખે. પરંતુ રજૂઆતકર્તાઓએ તેને માન્ય રાખ્યો નહોતો.