![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/પિયરમાં-પૈસા-લાવવાનું-કહી-પતિએ-માર-માર્યો.jpg)
પિયરમાં પૈસા લાવવાનું કહી પતિએ માર માર્યો : પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
ચાણસ્મા તાલુકાના મણીપુરા (ટાકોદી) ગામે રહેતી એક પરિણીતા પર તેની સાસરી પક્ષના લોકો ખોટા વહેમ રાખી તથા નાની નાની વાતે ઝઘડા કરી શારિરીક માનસિક ત્રાસ આપી અવારનવાર તેનાં પિતાનાં ઘેરથી ત તુટક તુટક પૈસા મંગાવતાં મહિલાએ હવે પિતાનાં ઘરેથી પૈસા લાવવાનો ઈન્કાર કરતાં તેનાં પતિએ તેનું માથું ભીંત સાથે ભટકાવી તથા મોંઢા ઉપર થપ્પડો મારી ઇજાઓ કરી હતી. આ મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની મળતી માહિતી મુજબ ચાણસ્માનાં મણીપુરા (ટાકોદી) ગામે રહેતી કિરણબેનના લગ્ન નવ વર્ષ પૂર્વે જોટાણાનાં રાણીપુરા ગામે વિક્રમસિંહ સાથે થયા હતા. લગ્ન જીવનથી બે દીકરીઓ છે. તેનાં પતિ તેની પાસે પિયરમાંથી વારંવાર પૈસા મંગાવતા હતા. તેણે રૂ. બે લાખ લાવીને તેણે તેનાં પતિને આપ્યા હતાં. તા. 9-1-24નાં રોજ કિરણબેન તેનાં પતિ અને બાળકો સાથે તેનાં પિયરે ગયેલી ત્યારે પતિએ તેને ને તેનાં પિતા પાસેથી થોડા પૈસા લઈ લેવા કહેતાં કિરણબેને કહેલ કે, આપણે અગાઉ પણ પિતા પાસેથી પૈસા લીધેલા છે તે પાછા આપ્યા નથી અને હવે હું આખો દિવસ પૈસા નહીં માગું, તેમ કહેતાં ઉશ્કેરાયેલા પતિએ તેનું માથું ભીત સાથે અથડાવીને થપ્પડો મારી હતી અને તેને પિયરમાં મૂકીને જતો રહ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Tags Banaskantha patan sabarkantha