![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/03-13.jpg)
રાધનપુર ગ્રામ્યમાં ડેન્ગ્યુ થી યુવાનનું મોત થતા આરોગ્યની ટીમે તપાસ હાથ ધરી
રાધનપુર તાલુકાના કરસરનગઢ ગામે ડેન્ગ્યુ થી એક યુવાનનું મોત તથા સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાયો છે. યુવાનના મોતને લઈને ગામમાં આરોગ્યની ટીમ દ્વારા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાધનપુર તાલુકાના કરશનગઢ ગામે ડેન્ગ્યુને કારણે એક યુવાનનું મોત થતા ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી. રાધનપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરશનગઢ ગામે સર્વેની કામગીરી હાથ ધરી હતી.આ બાબતે મેડીકલ ઓફ્સિર નરેશભાઈ ગર્ગએ જણાવ્યુ હતું કે કરશનગઢ ગામે સર્વે કરવામાં આવતા કુલ 400 કરતા વધારે લોકોની ચકાસણી કરવામાં આવી છે. જેમાં તાવના 5 કેસ સામે આવ્યા છે. સમગ્ર ગામમાં 5 થી વધારે ટીમ કામગીરી કરી રહી છે. તેમજ તમામ ઘરોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.