![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/26-13.jpg)
પાટણની સરસ્વતી નદીમાં પાણી છોડવા પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી
ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પાટણ સરસ્વતી નદીમાં પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને પાણી છોડવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. કે. સી. પટેલ દ્વારા મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, પાટણની સરસ્વતી નદીનું મહત્વ અતિ પ્રાચિન હોઇ શ્રાવણ માસમાં ધાર્મિક પ્રસંગો, વ્રત ઉપરાંત પાટણ અને સરસ્વતી તાલુકા વિસ્તારના ખેડૂતોને હાલમાં ઉભા પાકને પિયત માટે પાણી મળે તો ખેડૂતોના પાકને ફાયદો થાય તેમ હોય તેમજ સરસ્વતી નદીમાં પણ જળસ્તર ઉચા આવે જેથી આજુ-બાજુના વિસ્તારમાં ઘણો ફાયદો થાય તેમ હોવાથી પાટણ સરસ્વતી નદીમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવા માટે ભલામણ છે.