પાટણના સરવા ગામમાં આવેલા અમૃત સરોવરની પાસે કલેક્ટરે વુક્ષરોપણ કર્યું
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેંધરી યોજના અંતર્ગત સરવા ગામમાં આવેલ અમૃત સરોવર પાસે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને વુક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સરવા ગ્રામવાસીઓ દ્વારા જિલ્લા કલેકટર અરવિંદ વિજયનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કલેકટરએ મહાકાળી માતાજીના દર્શન કરી આર્શિવાદ મેળવી અમૃત સરોવરની પાસે પહોંચ્યા હતા. જ્યાં સરવા ગ્રામવાસીઓ પાસે સીધો સવાંદ કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેકટર અમૃત સરોવરની પાસે વુક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ત્યારબાદ અન્ય મહાનુંભાવો દ્વારા પણ વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી ,તાલુકા પંચાયત પાટણ પ્રમુખ તાલુકા સામાજિક ન્યાય સમિતિના તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.