બાલીસણામાં અવાવરું જગ્યાએથી યુવકની લાશ મળી

પાટણ
પાટણ

અજાણ્યા યુવકની હત્યા કે આત્મહત્યાને લઈ અવનવા તર્ક વિતર્ક

પાટણ જિલ્લાના બાલીસણા ગામે યુવકની લોહિલૂહાણ હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી છે. બાલીસણા ગામનાં ટીંડેશ્વર મહાદેવ મંદિર પાસેની અવાવરૂ જગ્યાએથી લાશ મળી આવી છે. આ યુવક કોણ છે અને તેણે આત્મહત્યા કરી કે પછી હત્યા કરવામાં આવી ? તે કશું જ જાણવા મળ્યું નથી. એટલું જ નહીં, આ યુવક કોણ છે, તે પણ જાણી શકાયું નથી.

બાલીસણામાં અવાવરું જગ્યાએ યુવકની લાશ પડી હોવાની જાણકારી મળતાં બાલીસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ પછી યુવક કોણ છે અને તેની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા કરી છે ? તે તમામ વિગતો બહાર આવશે. હાલમાં તો યુવકની લાશને લઈ અવનવા તર્ક વિતર્ક વહેતા થવા લાગ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.