![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/19-23.jpg)
સિદ્ધપુર ડેપોમાં સ્વચ્છતા શ્રમ રથનું સ્વાગત કરાયું
સિદ્ધપુર ડેપો ખાતે સ્વચ્છતા શ્રમ રથ આવી પહોંચતા સ્વાગત કરાયું હતું. સ્વચ્છતા અંગે લોક જાગૃતિ લાવવા કલાકારો દ્વારા નાટક ભજવાયું હતું. એસટી ડેપો સહિત બસોમાં સ્વચ્છતા રાખવા માટે મુસાફરોને સંકલ્પ લેવડાવ્યા હતા. રાષ્ટ્રવ્યાપી સ્વસ્છ ભારત અભિયાન અંતર્ગત પાલનપુર વિભાગીય એસટી કચેરીના તમામ ડેપો અને એસટી બસોમા સ્વચ્છતા જળવાય રહે અને લોકોમાં સ્વચ્છતા અંગે લોક જાગૃતિ આવે તે માટે પાલનપુર એસટી ડેપો ખાતેથી સ્વચ્છતા શ્રમ રથનો ગુરુવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
ત્યારે આ સ્વચ્છતા શ્રમ રથ આજરોજ સિદ્ધપુર ડેપો ખાતે આવી પહોંચતા ડેપો તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર રતિલાલ અને દેવરાજ ભાટિયા દ્વારા સ્વચ્છતા અંગે લોક જાગૃતિ લાવવા નાટક રજૂ કરવામાં આવ્યું હતું. એસટી ડેપોમાં અને બસોમાં સ્વચ્છતા રાખવા માટે મુસાફરો સહિત ઉપસ્થિત તમામ લોકોને સંકલ્પ લેવડાવ્યા હતા. જેમાં એસટીના કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સિદ્ધપુર ડેપો ખાતેથી સ્વચ્છતા શ્રમ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, મનીષભાઈ પ્રજાપતિ, જયેશભાઇ પંડ્યા, જશુભાઈ પટેલ, ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરી, હારુનભાઈ મોગલ સહિત મુસાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.