![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/29-2.jpg)
પાટણ શહેરમાં રખડતાં ઢોરોનો હાઈવે પર અડિંગો જમાવ્યો
પાટણ શહેર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત ભરમાં રખડતા ઢોરોનો ત્રાસ આમ નાગરિકોને સતાવી રહ્યો છે. ત્યારે લોકોને આ રખડતા ઢોરોના ત્રાસ માંથી મુક્ત કરવા સરકાર પણ અનેક પ્રયાસો કરી નાસી પાસ બની છે. ત્યારે રખડતા ઢોરોના માલિકો બેખોફ બની વહેલી સવારથી જ પોતાના ઢોરોને દોહી શહેરમાં ખુલ્લે આમ રઝળતા મુકી લોકોની સમસ્યાઓ વધારી રહ્યા છે.પાટણ શહેરમાં અને હાઈવે માગૅ પર પણ અડિંગો જમાવીને ટોળા મોઢે આરામ ફરમાવતા રખડતાં ઢોર ના કારણે અવાર-નવાર નાના મોટા અકસ્માતના બનાવો પણ સજૉતા હોય છે. અને તેના કારણે અનેક નિદોર્ષ માનવ જીદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોવા છતાં આ રખડતાં ઢોરોના માલિકો સામે સરકાર કે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. હાઈવે પર રખડતાં ઢોરોના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે સરકાર અને તંત્ર માત્રને માત્ર મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી સંતોષ વ્યક્ત કરતી હોય છે.તંત્ર અને સરકાર દ્વારા આમ નાગરિકો ને રખડતાં ઢોરોની સમસ્યા માથી કાયમી છુટકારો અપાવવા ગૌચરની જગ્યાઓ ફાળવી આપે અને રખડતાં ઢોરો માંટે કડક કાયદો ઘડે તેવી લોક માંગ પ્રબળ બનવા પામી છે. આજરોજ વહેલી સવારે પાટણ-ડીસા હાઈવે પર આવેલ અધાર બસ સ્ટેન્ડ ની હાઈવે માગૅ પર ટોળા એ અડિંગો જમાવીને અકસ્માતને આમંત્રણ આપવા બેઠેલા રખડતાં ઢોરોનો જમેલો જોવા મળ્યો હતો જે દ્રશ્ય પરથી તંત્ર અને સરકારે રખડતાં ઢોરોની સમસ્યા કેટલી વકરી છે તેનું અનુમાન લગાવી શકાય તેમ છે.