સિદ્ધપુર નગરપાલીકા પ્રમુખ-ઉપપ્રમુખે ગાંધીનગરમાં કેબિનેટ મંત્રીને મળી રજૂઆત કરી

પાટણ
પાટણ

સિદ્ધપુર શહેરમાં વિવિધ પ્રશ્નો મામલે નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ તેમજ ભાજપના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને રજુઆત કરી હતી તેમજ સિદ્ધપુર નગરપાલીકા વિસ્તારમાં પડતી પાણીની તકલીફ ને ધ્યાને લઈ તેમજ શહેરને ફલોરાઇડ મુક્ત પાણી પુરુ પાડવાની રજુઆત કરવામાં આવી હતી.સિદ્ધપુર શહેરના વિવિધ પ્રશ્નો મામલે નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર તેમજ સદસ્ય અને ભાજપના આગેવાનો ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલમાં કેબીનેટ મંત્રી બલવંત સિંહ રાજપૂતના સંકુલ ખાતે જઇ નગરપાલીકા વિસ્તારમાં પડતી પાણીની તકલીફ તેમજ શહેરને ફલોરાઇડ મુક્ત પાણી પુરુ પાડવાના ભાગરૂપે તેમજ શહેરને પુરો પાડતા ધરોઇ – મુકતેશ્વર જૂથ યોજનામાંથી પુરો પાડતા રાબેતા મુજબ ના દૈનીક જથ્થામાં વધારો કરવા સંબધીત વિભાગ રજુઆત કરવામાં આવી હતી તેમજ નગરપાલીકાના અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રૂબરૂ ઉપસ્થિત રહી રજૂઆત કરી હતી.

જે અન્વયે રાજ્ય સરકારના કેબીનેટ કક્ષાના પાણી પુરવઠાના મંત્રી કુંવરજી બાવળીયાને પાલિકાના આગેવાનોની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રીએ આગ્રહ કર્યો હતો જેને લઈ પાણી પુરવઠા મંત્રીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો અને રજૂઆત મુજબ ના કામો પુર્ણ કરવા તેમજ શહેર ને જરૂરીયાત મુજબનો ફ્લોરાઈડ મુક્ત પાણી નો જથ્થો ધરોઇ- મુકેશ્વર માંથી પુરુ પાડવાની ખાત્રી આપી હતી.આ પ્રસંગે કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે, સદસ્ય અંકુરભાઈ ત્રિવેદી, ભાવેશ રાજ્યગુરુ, શહેર ભાજપ પ્રમુખ જયેશ પંડ્યા, APMC ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, નિરંજનભાઈ ઠાકર, જશુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.