પાટણના રાજપુરના રાજેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિતે શિવ યજ્ઞ યોજાયો

પાટણ
પાટણ

પાટણ નજીક રાજપુર ગામે રાજેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિતે રવિવારે શિવ યજ્ઞ યોજાયો હતો. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તિએ લીધો હતો.પાટણ નજીક આવેલ રાજપુર ગામ પાદરે રાજેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શિવ યજ્ઞ રવિવારે યોજાયો હતો. પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મંદિરને ફુલોનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. શિવ યજ્ઞ ના યજમાન પદે મહેશ નગરભાઈ પટેલ અને ધર્મપત્ની સપના બેન મહેશ ભાઈ પટેલ બેસવાનો લ્હાવો લીધો હતો.

 

શ્રાવણ માસને લઈ વહેલી સવારથી જ ભાવિક ભક્તો ભોળનાથનું પૂજન અર્ચન કરી રહા છે. આયોજકો દ્વારા શિવ યજ્ઞને લઈ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શિવ યજ્ઞમાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે શ્રી ફળ ની હુતી આપી હતી. જેના દર્શનનો લાભ ભવિક ભક્તિએ સહિત યજમાન પરિવાર અને ગ્રામજનોએ એ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.