પાટણ ખાતે આવેલા એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ ઉજવાયો

પાટણ
પાટણ

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાકોત્સવનું ખૂબ મોટું મહત્વ રહેલું છે આજ થી 200 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ લોયા ગામ ખાતે હરિભક્તોને પોતાની હાથે બનાવેલ રીંગણા નુ શાક બનાવીને જમાડેલા ત્યારથી આ સાકોત્સવની સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવણી કરવામાં આવે છે.ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના આશીર્વાદથી અને પરમ પૂજ્ય સ્વામી શ્રી ની પ્રેરણાથી આજરોજ પાટણ ખાતે આવેલું એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ સાકોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે પાટણ શહેરના હરિભક્તો તથા આજુબાજુ ગામના હરિભક્તો એ સાકોત્સવ પ્રસાદનો લાભ લીધો હતો અને પરમ પૂજ્ય ધર્મ સ્વામી દ્વારા આ પ્રસંગે કથા વાર્તા નો લાભ આપવામાં આવ્યો હતો અને સંતો દ્વારા આરતી પૂજન કરવામાં આવ્યું હતું. પાટણ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ સ્વામી તથા હરિભક્તો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાકોત્સવ પ્રસંગે બપોરથી જ બેનો દ્વારા રોટલા ઘડવાનું તથા હરિભક્તો તથા પરમ પૂજ્ય સત્સંગ સ્વામી દ્વારા આજરોજ શાક નો વઘાર કરવામાં આવ્યો હતો અને સંતો દ્વારા હરિભક્તોને રોટલા શાક ખીચડી ગોળ ઘી વગેરેની પ્રસાદ ભોજન આપવામાં આવ્યો હતો. અને દરેક હરિભક્તો એ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી લાઈ ધન્યતા અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.