બંદોબસ્ત:વિચરતી જાતિના લોકો કેમ્પમાંથી નીકળી જતાં પોલીસ બંદોબસ્ત સાથે ફરી મોકલ્યા

પાટણ
પાટણ

પાટણ શહેરના હાઇવે ઉપર આવેલ શાક માર્કેટ પાસે ખુલ્લા છાપરામાં રહેતા વિચરતી જાતિના લોકો આશ્રય સ્થળેથી પાછા આવી જતા શુક્રવારે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે આશ્રય સ્થાન ઉપર મોકલી આપ્યા હતા. જ્યારે ધનાવાડા છાપરાં વિસ્તારમાં ભરાયેલા પાણી ખાલી કરાયા બાદ વરસાદ આવતા ફરીથી ભરાઈ જતા નગરપાલિકાની ટીમ ફરીથી પાણી નિકાલ કરવા કામે લાગી હતી.

પાટણ શહેરમાં ગુરુવારે રાત્રે પાણી ભરાતા નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપ પટેલ, સ્વચ્છતા શાખા ના મુકેશભાઈ રાવલ ઉપરાંત વોટર વર્કર્સ અને ફાયર ટીમના કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી જઈ ડીવોટરીંગ પંપ વડે પાણી ખાલી કર્યું હતું પરંતુ શુક્રવારે ફરીથી વરસાદ થતાં ફરીથી પાણી ભરાઈ જતા ટીમ ફરીથી કામે લાગી હતી અને પંપ વડે વરસાદી પાણીની લાઈનમાં પાણી નાખવાની કામગીરી હાથ ધરી હતી નગરપાલિકા દ્વારા આશ્રયસ્થાન હાંસાપુર શાળા અને ગુરુકુળ શાળામાં ફોગિંગ મશીન વડે ફોગિંગ કરવામાં આવ્યું હતું.

પાલિકા સ્વચ્છતા શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટર મુકેશભાઈ રાવલે જણાવ્યા અનુસાર નવા શાક માર્કેટ પાસે ખુલ્લા ખેતરમાં ખુલ્લા છાપરાં બનાવીને રહેતા વિચરતી જાતિના લોકોને ગોલાપુર વિસ્તારમાં આવેલ પાયોનિયર શાળામાં ખસેડ્યા હતા.ગુરુવારે પ્રાંત અધિકારીને બોલાવીને સમજાવાયા હતા અને આશ્રયસ્થળે મોકલાયા હતા પરંતુ તેઓ શુક્રવારે સવારે નીકળી છાપરામાં આવી ગયા હતા જેને પગલે શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે શાળામાં મોકલ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.