પાટણમાં સ્વ. રાજીવ ગાંધીની 79મી જન્મજયંતી પ્રસંગે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

પાટણ
પાટણ

ભારત દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર સ્વ. રાજીવ ગાંધીના આજે 79 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી સ્વ. રાજીવ ગાંધીનો આજે 79 માં જન્મદિવસ છે, ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકરજી ઠાકોર,જિલ્લા પંચાયત વિપક્ષ નેતા અશ્વિનભાઈ પટેલ,ઉપપ્રમુખ બળદેવભાઈ દેસાઈ,મહામંત્રી ભાવેશભાઈ ગોઠી,અમૃતભાઈ દેસાઈ,મુકેશભાઈ મિરચંદાની,રાહુલભાઇ બારોટ સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનોએ સ્વ. રાજીવ ગાંધીના જન્મદિવસ અવસરે તેઓને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.