સુજલામ્ સુફલામ કેનાલ મારફતે પાટણના સરસ્વતી જળાશયમાં પાણી ભરાયું

પાટણ
પાટણ

પાટણ જિલ્લો મોટાભાગે સૂકો જીલ્લો હોવાથી સુજલામ સુફલામની કેનાલ ખેડૂતો માટે આર્શીવાદરૂપ સમાન બની રહી છે ત્યારે ઉનાળા ની સિઝનમાં ખેડૂતોને પિયત માટેનું પાણી મળતું ન હોવાને કારણે તેઓ ચિંતામાં મુકાતા હોય છે ત્યારે સુજલમ સુફલામ ની આગળ જતી કેનાલ નું રિપેરીગ કામ ચાલુત હોવાના કારણે કામલી વાડા એસ કેપ માંથી સરસ્વતી જળાશયમાં સુજલમ સુફલામ કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું છે. હાલ માં 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે


પાટણ ના કામલીવાડા થી આગળ જતી સુજલમ સુફલામ કેનાલ નું રિપેટીગ કામ ચાલતું હોવાના કારણે આગળ જતું પાણી કામલીવાડાં એસ માંથી પાટણ સુજલામ્ સુફલામ કેનાલ મારફતે 50ક્યુસેલ છોડવામાં આવ્યું છે જે સરસ્વતી જળાશય મા પાણી ભરવામાં આવી રહ્યું છે જેનો થી સરસ્વતી નદી માં પાણી ભરાશે અને પાણી ન સ્થળ ઉંચા આવશે.વધારે સમય માટે આ પાણી આવશે તો પાટણ તાલુકાના 23 ગામોને પાણી લાભ મળવાની શક્યતાઓ જોવા મળી રહી છે.જળાશયમાં પાણી છોડાતાં પાણીના સ્તર ઊંચા આવશે અને વાવેતર માટે ખેડુતોને રાહત મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે આમ સરસ્વતી જળાશયમાં સુજલામ સુફલામ ના પાણી છોડવામાં આવતા કોરી ભટ્ટ પડેલી સુજલામ સુફલામ ફરી એકવાર પાણીના નીર થી ભરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.